ભગવા રંગના ગઝલકાર અને ગુજરાતી સાહિત્યના વરિષ્ઠ કવિ શ્રી રાજેન્દ્ર શુક્લને વર્ષ 2006 આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. આગામી શરદપૂનમ તા. 7-ઑકટોબર-2006 ના રોજ જૂનાગઢ ખાતે આયોજિત એક સમારોહમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવશે. જેમાં રૂ. 1.51 લાખનો ચેક, સ્મૃતિચિન્હ અને સન્માનપત્ર અર્પણ કરીને શાલ ઓઢાડીને કવિને બિરદાવવામાં આવશે.
વર્ષો સુધી અધ્યાપનક્ષેત્રે રહ્યા બાદ વર્ગખંડની શિક્ષણપ્રણાલિને તિલાંજલી આપીને સ્વૈછિક નિવૃત્તિ લીધા બાદ કવિ દંપતી રાજેન્દ્ર શુક્લ-નયનાબહેન અમદાવાદમાં સ્થાયી થયા છે. કવિનો પ્રથમ ગઝલ સંગ્રહ, ‘કોમલ રિષભ’-1970માં, બીજો સંચય-’અંતરગાંધાર’-1981માં તેમ જ તાજેતરમાં પાંચ સંચયનો સંપૂટ ‘ગઝલ સંક્ષિતા’ આપ્યો છે, જેમાં ‘સભર સુરાહી’ , ‘મેઘધનુષના ઢાળ પર’, ‘આ અમે નીકળ્યા’, ‘ઝળહળ પડાવ’ અને ‘ઘિર આઈ ગિરનારી છાયા’ નો સમાવેશ થાય છે.
['હલચલ' સામાયિક -1-સપ્ટે-2006માંથી સાભાર]
ગઝલ સંહિતાઃ ૪૫૦ ગઝલો,પાંચ ભાગમાં,પ્રદાનઃ ૩૦૦ રૂ
સહૃદય પ્રકાશન
૭૧૪, આનંદ મંગલ
ડોક્ટર્સ હાઉસની સામેની ગલી
આબાંવાડી, અમદાવાદ - ૩૮૦૦૦૬
ફોનઃ ૦૭૯-૨૬૮૬૧૭૬૪, ૨૬૪૦૪૩૬૫
મોબાઇલઃ ૦૯૮૯૮૪૨૧૨૩૪, ૦૯૩૨૭૦૨૨૭૫૫
કવિનો સંપર્કઃ
રાજેન્દ્ર શુક્લ
૨૨/૫૨૯, સત્યાગ્રહ છાવણી
જોધપુર ટેકરા,સેટેલાઇટ રોડ
અમદાવાદ- ૩૮૦૦૧૫
ફોનઃ ૦૭૯-૨૬૮૬૧૭૬૪
ઇમેલઃ jajvalya@yahoo.com