રીડગુજરાતી : સાહિત્ય સમાચાર

બાળસાહિત્યકાર રમણલાલ સોનીનું અવસાન

September 21, 2006 · Leave a Comment

લોકપ્રિય અને સુપ્રસિદ્ધ બાળ સાહિત્યકાર શ્રી રમણલાલ સોનીનું તા-20-સપ્ટેમબર-2006 ના રોજ 99 વર્ષની ઉંમરે દુ:ખદ અવસાન થયું છે. તેમણે કુલ 400 થી વધુ બાળસાહિત્યનાં પુસ્તકો લખ્યા હતાં જે ખૂબ જ લોકપ્રિય બન્યા હતા. બાળ સાહિત્ય સેવા બદલ તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ પ્રદાન કરવામાં આવ્યો હતો.

સદગતની સ્મશાન યાત્રા આજે તા.21-સપ્ટેમબરના રોજ સવારે 9.00 વાગે તેમના નિવાસસ્થાન ‘સુતરિયા હાઉસ’ , ભાઈકાકા હોલ પાસેથી નીકળીને વી.એસ. હોસ્પિટલ નજીકની હૉસ્પિટલ પહોંચશે જ્યાં તેમના પાર્થિવ દેહને અગ્નિસંસ્કાર અપાશે.

તેમના નિધનથી બાળ ગુજરાતી સાહિત્ય જગતને ન પૂરાય તેવી મોટી ખોટ પડી છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તેવી રીડગુજરાતી તરફથી પ્રભુ પ્રાર્થના.

Categories: News