રીડગુજરાતી : સાહિત્ય સમાચાર

‘આપણો સાહિત્ય વારસો’ નામનો કાર્યક્રમ યોજાયો

November 1, 2006 · Leave a Comment

ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદના ઉપક્રમે ‘આપણો સાહિત્ય વારસો નામનો એક કાર્યક્રમ ગત માસમાં યોજવામાં આવ્યો હતો જેમાં શ્રી જયંત ગાડીતે પોતાની નવલકથાઓ ‘બદલાતી ક્ષિતિજો’ અને ‘ક્યાં છે ઘર’ ના અંશોનું પઠન કર્યું હતું. આ ઉપરાંત હાસ્યલેખક શ્રી રતિલાલ બોરીસાગરે શ્રી રમણભાઈ નીલકંઠની રચનાઓમાંથી પસંદ કરેલી કૃતિઓનું પઠન કર્યું હતું. આ ઉપરાંત સાહિત્યના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

Categories: News