રીડગુજરાતી : સાહિત્ય સમાચાર

લગ્ન પ્રસંગ માટે ‘મંગલપોથી’ નામનું હસ્તલિખિત પુસ્તક

November 6, 2006 · Leave a Comment

દેવઊઠી એકાદશીથી આપણે ત્યાં લગ્નની મોસમ શરૂ થાય છે. આજકાલના લગ્ન પ્રસંગોમાં ખૂબ ટૂંકા સમયમાં ઘણીબધી તૈયારીઓ કરવી પડતી હોય છે અને શક્ય છે કે તેમાં કોઈ કામકાજ ભૂલી જવાય છે અથવા તો ધ્યાન બહાર નીકળી જાય છે.

બોરીવલી (મુંબઈ)ના શ્રી રજનીભાઈએ આ બાબતને ધ્યાનમાં લઈને લગ્ન પ્રસંગે કરવા માટેની જરૂરી તમામ તૈયારીને લગતું એક પુસ્તક બનાવ્યું છે જેને ‘મંગલપોથી’ એવું સુંદર નામ આપ્યું છે. હકિકતમાં આ કોઈ પુસ્તક નથી પરંતુ એક પ્રકારની ‘લગ્ન પોથી’ જ છે. આ લગ્નપોથી સંપૂર્ણપણે હસ્તલિખિત છે. તેમાં માંગલિક પ્રસંગોનો ક્રમ, લગ્ન પ્રસંગે આવેલા ચાંલ્લાની યાદી માટે દોરીને આપેલા કોષ્ટકો, સગાસંબંધી તરફથી કવર-ભેટ વગેરેની યાદી, વરપક્ષ તરફથી થયેલો વ્યવહાર, કન્યાપક્ષ તરફ કરેલો વ્યવ્હાર, લગ્નપ્રસંગના અતિથી ઈતિસુધીના તમામ ખર્ચ લખવા માટેના કોષ્ટકો, લગ્ન અંગેની પૂર્વ તૈયારીઓ, વિવાહ-લગ્ન પ્રસંગે લઈ જવાની વસ્તુઓની યાદીઓ, ચોઘડિયા વગેરેની માહિતિ વચ્ચે વચ્ચે કોરા પાનાઓ સહિત આપવામાં આવી છે. આ પોથીમાં પેનથી દોરેલા કોષ્ટકો તૈયાર જ હોય છે જેથી જેના ઘરે શુભ પ્રસંગ લેવાનો હોય તેને આ બધી તૈયારીમાં સમય જતો નથી અને આ પ્રકારની તૈયાર પોથી પ્રાપ્ત કરી તેનો ઉપયોગ કરી શકાય છે.

વાચકોમાંથી કોઈને આ પ્રકારની પોથી ની જરૂરિયાત હોય તો તેઓ શ્રી રજની ભાઈનો આ સરનામે સંપર્ક કરી શકે છે : ( રજનીભાઈ. આર. શાહ, જે-002 એકતા ભૂમિ ગાર્ડન, દત્તપાડા રોડ, બોરીવલી (ઈસ્ટ) મુંબઈ-400 066. ફોન : +91 22 28702856) રીડગુજરાતીનો એ પ્રયાસ રહ્યો છે કે આવી કોઈ સર્જનાત્મક વસ્તુ લોકઉપયોગી બની શકે તો સર્જકની કલાને વધારે પ્રોત્સાહન મળે. આ પ્રકારની પોથી ભારતમાં સૌપ્રથમ વાર બની છે.

Categories: News