બારડોલીમાં થયેલું પુસ્તક વિમોચન

સંસ્કાર વર્તુળ, બારડોલી (જિ. સુરત) ના ઉપક્રમે સાહિત્યકાર પ્રા. રમણ પાઠકની અધ્યક્ષતામાં યોજાયેલ સમારોહમાં નવોદિત કવિયત્રી સુશ્રી સંધ્યા ભટ્ટના કાવ્યસંગ્રહ ‘સ્પર્શ આકાશનો’નું વિમોચન સાહિત્યકાર શ્રી ભગવતીકુમાર શર્માએ કર્યું હતું. આ પ્રસંગે કવિ શ્રી નયન દેસાઈ, શ્રી રવીન્દ્ર પારેખ તથા શ્રી જનક નાયકે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યા હતાં.

Comments are closed.