સંસ્કાર વર્તુળ, બારડોલી (જિ. સુરત) ના ઉપક્રમે સાહિત્યકાર પ્રા. રમણ પાઠકની અધ્યક્ષતામાં યોજાયેલ સમારોહમાં નવોદિત કવિયત્રી સુશ્રી સંધ્યા ભટ્ટના કાવ્યસંગ્રહ ‘સ્પર્શ આકાશનો’નું વિમોચન સાહિત્યકાર શ્રી ભગવતીકુમાર શર્માએ કર્યું હતું. આ પ્રસંગે કવિ શ્રી નયન દેસાઈ, શ્રી રવીન્દ્ર પારેખ તથા શ્રી જનક નાયકે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યા હતાં.